નંદલાલાને માતા યશોદાજી સાંભરે,
મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં
નંદલાલા ને…
હીરા માણેકના મુગટ ધરાય છે, (૨ વાર),
મોરપીંછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં
નંદલાલા ને…
તબલા સારંગીના સૂર સંભળાય છે, (૨ વાર),
નાનકડી બંસી મારી રહી ગઈ ગોકુળમાં
નંદલાલા ને…
છપ્પન ભોગના થાળ ધરાય છે, (૨ વાર),
માખણ ને મીસરી મારી રહી ગઈ ગોકુળમાં
નંદલાલા ને…
રાણી પટરાણી અહીં મહેલે સોહાય છે, (૨ વાર),
ગોપીઓ ને રાધા મારી રહી ગઈ ગોકુળમાં
નંદલાલા ને…
રાધાજીને એટલું કહેજો ઓધવજી, (૨ વાર)
અમીભરી આંખ્યું મારી રહી ગઈ ગોકુળમાં
નંદલાલા ને…
